Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs
💁♂કૃષિ યુનિવર્સિટી માં જુનિયર ક્લાર્કની ભરતી જાહેર
#Apply
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
ક્યાંક વાંચ્યું હતું: "જીવનમાં મુખ્યત્વે બે જ પીડા હોય છે; એક અનુશાસનની પીડા, અને બે, પ્રશ્ચાત્તાપની પીડા." કાં તો તમે લાંબા સમયની સફળતા અને સુખ માટે ટૂંકા ગાળામાં આત્મ સંયમ અને પરિશ્રમની પીડા સહન કરો,
અથવા
આળસ અને નિષ્ક્રીયતાને પ્રેમ કરીને સફળ અને સુખી થવાના અવસરો ગુમાવી દો અને પછી બાકી જિંદગી સુધી પ્રશ્ચાત્તાપમાં દુઃખી થાવ.
બંનેમાં પીડા તો છે જ, પણ એક પીડા પ્રગતિ તરફ લઈ જાય છે અને બીજી પીડા નારાજગી અને અસંતોષ તરફ લઈ જાય છે.
જીવનની બાકી તમામ પીડાઓ અને ખુશીઓ આ બે પીડાઓમાંથી આવે છે.
જીવનમાં પીડા અનિવાર્ય છે, પણ એક પીડા મુક્તિ તરફ લઈ જાય છે અને બીજી પીડા બાંધી રાખે છે. પ્રશ્ચાત્તાપની પીડા કરતાં અનુશાસનની પીડા સારી, કારણ કે અનુશાસનમાં કમ સે કમ તમે કોઈક લક્ષ્ય હાંસલ કરવાનો આનંદ તો મેળવો છો.
*Happy Morning*
👨💻AMC SSI ભરતી
📌SSI: સહાયક સેનેટરી સબ ઇન્સ્પેકટર
#AMC #SSI #Apply
https://www.youtube.com/live/271HOVz02YI?si=drPZDhWzbBFUT4ua
Читать полностью…*મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ):*
સો વાતની એક વાત-
જાત સાથે જૂઠું ન બોલવું. જે માણસ પોતાની સાથે જૂઠું બોલે છે અને પોતાના જૂઠને સાંભળે છે, તે અંતત: પોતાની ભીતર કે પોતાની આસપાસના સત્યને ઓળખી શકતો નથી, અને પોતાના માટે અને બીજાઓ માટે સન્માન ગુમાવી દે છે. સન્માનના અભાવમાં તે પ્રેમ કરવાનું પણ ગુમાવે છે, અને પ્રેમના અભાવની પીડાથી બચવા માટે તે જાનવરની જેમ ઇન્દ્રિયોના સુખમાં જાતને ડૂબાડી દે છે. એ રીતે તે પોતાની સાથે અને બીજાઓ સાથે તેના જૂઠને બરકરાર રાખે છે.
"જે માણસ પોતાની સાથે જૂઠ બોલે છે તે બીજાઓ કરતાં આસાનીથી અપમાનિત મહેસૂસ કરતો હોય છે. ઘણીવાર, નારાજ થવાની પણ મજા આવતી હોય છે, નહીં? માણસને કદાચ ખ્યાલ હોય છે કે કોઈએ તેને નારાજ નથી કર્યો, તેમ છતાં તે ખુદ પોતાના માટે નારાજગી પેદા કરી લે છે. તે જૂઠું બોલીને અને અતિશયોક્તિ કરીને તેને નારાજગીને આકર્ષક બનાવે છે, તે સાધારણ શબ્દ પકડીને રાયનો પહાડ બનાવે છે. તેને આ બધું ખબર હોય છે, છતાં તે સૌથી પહેલાં નારાજ થઈ જાય છે અને તેમાં મજા આવે ત્યાં સુધી મગ્ન રહે છે. પરિણામે તેનામાં સાચે જ બદલાની ભાવના આવી જાય છે. પરંતુ આ બધુંય છળ કપટ છે. "જૂઠને ટાળો, દરેક પ્રકારનાં જૂઠને, ખાસ કરીને જાત સાથે બોલાતાં હોય તેને. ખુદના છળને જોતા રહો, દર કલાકે, દર મિનિટે જુવો. ખુદને અને બીજાની ઘૃણા કરવાનું ટાળો. તમારી ભીતર જે ખરાબ છે તે તમારા નિરીક્ષણથી શુદ્ધ થતું જશે. ડરને પણ ટાળો, જો કે ડર પણ દરેક પ્રકારનાં જૂઠનું જ પરિણામ છે."
*(~દોસ્તોયેવસ્કી, 'ધ બ્રધર્સ કારામાઝોવ'માં)*
*Happy Sunday Morning*
Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/jgz4Gz2QrDg?feature=share
કરીદ્યો આન્સર..
Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/uCbXExSsn9I?feature=share
https://www.youtube.com/live/m6EkM-ctiV0?si=8jqiDH_MT58ERM-5
Читать полностью…👨💻વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8
કામચલાઉ મેરીટ યાદી - 2
#TET #PML
https://www.youtube.com/live/h1wYmUgRC5c?si=zLaQ03eqSL2y6d4I
Читать полностью…Physical geography in one lecture 🤩
https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu
https://www.youtube.com/live/Zipa8LAVOZ0?si=JhOLuig4I5J7l-xR
Читать полностью…*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
આપણાં વખાણ થાય તેનાથી આપણને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે તે સાચું, પરંતુ આપણે જો સજાગ ન રહીએ તો, વાહવાહી મ્હોંઢે ચડાવેલા બાળકની જેમ આપણને બગાડી પણ મૂકે છે. વાહવાહી ઘણીવાર શાબ્દિક લાંચનું કામ કરે છે.
આપણે ઉચિત કામ માટે અને ઉચિત વ્યક્તિ તરફથી મળતી પ્રશંસા માટે જાગૃત ન હોઈએ તો, તે આપણને આપણા આચરણ અને વિચારમાં બેઇમાન બનાવી દે છે. લાડ-પ્યારમાં બગડી ગયેલું સંતાન જેમ લાડ મેળવવા માટે નખરાં કરે, તેવી રીતે જેને વાહવાહીની ટેવ પડી ગઈ હોય તે સર્કસના જોકરની જેમ સતત પર્ફોર્મ કરે.
માણસ ગમે તેટલો પ્રતિભાસંપન્ન હોય, એને જો બીજા લોકોની તાળીઓ અને તારીફની અપેક્ષા હોય, તો તે ઇમાનદાર ના રહી શકે. પછી તે બીજા લોકોને ખુશ કરવા માટે ખુદને અમુક રીતે પેશ કરશે.
વાહવાહીમાં આપણને આત્મમુગ્ધ બનાવી દેવાની તાકાત હોય છે.
આપણે જ્યારે બધાની પસંદ બનવા પર ફોકસ કરીએ છીએ, ત્યારે આપણે ખુદની મૌલિકતા પરથી ફોક્સ ગુમાવી દઈએ છે.
અસલમાં જીનિયસ એ હોય છે, જેનામાં જાત સાથે ઈમાનદાર રહીને એકલા પડી જવાનું સાહસ હોય.
*Happy Morning*
રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લાર્ક સંવર્ગની ભરતી કરવા બાબત
Читать полностью…https://www.youtube.com/live/_ZKayijTDsA?si=CgUzrsGSNk3rz9eh
Читать полностью…📌જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪, ગૃપ-B મુખ્ય પરીક્ષાની Revised Final Answer Key (RE-FAK)
#GSSSB #CCE #R_FAK
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
બુદ્ધિની અસલી કસોટી એ નથી કે આપણને દુનિયાની કેટલી સમજ છે. તેની અસલી કસોટી એ છે આપણને આપણી કેટલી સમજ છે. આપણે જો જાતને ઓળખતા ન હોઈએ, અને આપણી અંગત સમસ્યાઓને ઉકેલી શકતા ન હોઈએ, તો તે બુદ્ધિ સેલ્ફ-પ્લેઝરથી વિશેષ નથી. તેના માટે અંગ્રેજીમાં braingasm શબ્દ પણ છે: બૌદ્ધિક ગલગલિયાં. અમુક લોકોને તેમનામાં કેટલી બુદ્ધિ છે તેનું પ્રદર્શન કરવાની બહુ મજા આવતી હોય છે. આપણે જેમ રૂપાળા દેખાવા ફેશનેબલ વસ્ત્રો પહેરીએ છીએ, તેવી રીતે અમુક લોકો બીજાની સામે છાકો પાડી દેવા માટે તેમની બુદ્ધિની પ્રદર્શન કરતા રહે છે. તેમની પાસે બીજા લોકોની મુસીબતોના બધા જવાબો હોય, પણ ખુદની સમસ્યાઓ હલ કરી ન શકે. પોતાના વિશેની સમજણ જ અસલી બુદ્ધિની બુનિયાદ છે કારણ કે માણસ તેની અંગત અને જાહેર જિંદગીમાં કેટલી બહેતર રીતે વર્તે છે તેનો આધાર તેની પોતાના વિશેની સમજણમાંથી આવે છે.
*Happy Morning*
live now
https://www.youtube.com/live/usvse6nLwdY?si=bsmnqQoci9SBaMcF
https://www.youtube.com/live/lOv1XMHEa68?si=Rj7hO37ODdEjZkn-
Читать полностью…https://www.youtube.com/live/AWTVbBYHF-Y?si=nNbgFNY-rXvCUF0m
Читать полностью…https://www.youtube.com/live/Syu6F5bnhhw?si=cCBqGwan8MBWYY4H
Читать полностью…Physical geography in one lecture 🤩
https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
આપણે ઘણીવાર આશા, અપેક્ષા અને મહેચ્છાને એક જ ગણીએ છે, પરંતુ ત્રણે વચ્ચે સુક્ષ્મ તફાવત છે. ત્રણેય ભાવનો સંબંધ ભવિષ્ય સાથે છે, પરંતુ નિશ્ચિતતા, પરિણામની ચાહના અને એક્શનની પ્રેરણાના સ્તરે અલગ પડે છે.
આશામાં કશુંક સકારાત્મક થશે તેવી ઈચ્છા હોય છે, પણ તે ફ્લેક્સિબલ હોય છે. અર્થાત્, તેમાં ઈચ્છા પ્રમાણે ન થાય તેની પણ તૈયારી હોય છે.
અપેક્ષા આશા કરતાં થોડી વધુ દ્રઢ હોય છે. અર્થાત્, જેવું ઇચ્છ્યું છે તેવું થવું જ જોઈએ અને ન થાય તો નિરાશ થવાય.
મહેચ્છા સૌથી સશક્ત ઈચ્છા હોય છે અને તેમાં તેને યેનકેન પ્રકારેણ સાકાર કરવા માટે પગલાં ભરવાનો પ્રબળ ભાવ હોય છે.
દાખલા તરીકે, પ્રિયજનની બિમારી દૂર થઈ જશે તેવો ભાવ આશા કહેવાય.
લોકોની બિમારીઓ દૂર કરવા માટે ડૉકટર બનવું છે તે મહેચ્છા કહેવાય.
અને તે માટે અભ્યાસ કરીશ તો સારા માર્ક્સ આવશે તેને અપેક્ષા કહેવાય.
આશા કશુંક સારું થવાની ચાહના છે.
અપેક્ષા કશુંક સારું થવાનું અનુમાન છે.
મહેચ્છા કશુંક સારું કરવાનું લક્ષ્ય છે.
*Happy Morning*
धीरे-धीरे रे मना, धीरे सब कुछ होय,
माली सींचे सौ घड़ा, ॠतु आए फल होय।
अर्थ : मन में धीरज रखने से सब कुछ होता है. अगर कोई माली किसी पेड़ को सौ घड़े पानी से सींचने लगे तब भी फल तो ऋतु आने पर ही लगेगा ।
https://www.youtube.com/live/BpQeP0cwp-U?si=fIwLBC708WdZQxli
Читать полностью…નૈતિકતાના પેપર માટે રામાયણમાંથી બોધપાઠ :
ન્યાયનો માર્ગ પસંદ કરવો: વિભીષણે ભગવાન રામને મદદ કરવાનું પસંદ કર્યું, કારણ કે તે જાણતો હતો કે તેના ભાઈ રાવણે 'માતા સીતા'નું અપહરણ કરીને ગુનો કર્યો છે. આ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચે પસંદગી કરવાની હોય, ત્યારે ન્યાયનો પક્ષ લેવો જોઈએ, ભલે તે પોતાના નજીકના સંબંધો વિરુદ્ધ હોય.
સમાનતાનો વ્યવહાર: ભગવાન રામે શબરી દ્વારા અપાયેલા બોર (ફળો) કોઈ પણ ખચકાટ વિના ખાધા. આ ઘટના દર્શાવે છે કે ભગવાન રામ કોઈ પણ વ્યક્તિ સાથે તેની જાતિ, સ્થિતિ કે પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સમાનતાનો વ્યવહાર કરતા હતા.
નિઃસ્વાર્થતા: ભરતે રાજા બનવાનો ઇનકાર કર્યો, જે તેની અત્યંત નિઃસ્વાર્થતા દર્શાવે છે. તેણે પોતાના ભાઈના અધિકારનો આદર કર્યો અને સત્તાનો મોહ રાખ્યો નહીં, જે દર્શાવે છે કે સાચી નેતૃત્વ ભાવના સેવા અને ત્યાગમાં રહેલી છે.
રામ-રાજ્ય: 'રામ-રાજ્ય' એક આદર્શ શાસનનું પ્રતીક છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ છે:
કલ્યાણકારી રાજ્ય: જ્યાં પ્રજાનું કલ્યાણ સર્વોપરી હોય.
પારદર્શિતા: શાસનમાં સ્પષ્ટતા અને ખુલ્લાપણું.
જવાબદેહી: શાસકો તેમની ક્રિયાઓ અને નિર્ણયો માટે જવાબદાર હોય.
ક્ષમાભાવ: ભગવાન રામે પાછા ફર્યા પછી કૈકેયી પ્રત્યે આદરપૂર્વક વ્યવહાર કર્યો. આ દર્શાવે છે કે ક્રોધ અને વેરભાવ રાખવાને બદલે ક્ષમા આપવી અને સંબંધોમાં સન્માન જાળવવું એ ઉચ્ચ નૈતિક મૂલ્ય છે.